ઉર્સ એ હાસીમશાહ [રહ.] યોજાયો
સરજમીને ટંકારીઆમાં આરામ ફરમાવી રહેલા હઝરત હાસીમશાહ [રહ.] ના ઉર્સ નિમિતે ગતરોજ ઇશાની નમાજ બાદ સન્દલની વિધિ રાખવામાં આવી હતી. જેમાં ગામના મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. પાટણવાળા બાવા સાહેબની સદારત માં સંદલ વિધિ કરવામાં આવી હતી. તે જ સંદર્ભે ડેલાવાલા નવયુવાનો દ્વારા મગરીબની નમાજ બાદ સામુહિક ન્યાજ પણ રાખવામાં આવી હતી. આજે હજારી રોઝો હોય ગામની પરંપરાને આધીન લોકો હજારી રોજો પણ રાખતા નજરે પડ્યા છે.