ટંકારીઆમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી હોળીનો તહેવાર અને રમઝાન માસને ધ્યાનમાં રાખી આજરોજ ટંકારીઆ ગ્રામ પંચાયત કચેરીમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પી.આઈ.એ પોતાના સંદેશમાં આગામી હોળી-ધુળેટી તથા રમઝાન માસનો મહિનો ચાલતો હોય, તમામને શાંતિપૂર્વક પોતપોતાના તહેવારો ઉજવવાની અપીલ કરી હતી. શાંતિ અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ મિટિંગમાં પાલેજ પી.આઈ. કોમલબેન વ્યાસ ઉપરાંત તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમતા તથા તલાટી ઘનશ્યામભાઈ તથા ગામ આગેવાનો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*