આગામી હજમાં જનાર ખુશનસીબ હુજજાજો માટે તાલીમ કેમ્પનું આયોજન દારુલ ઉલુમ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ દ્વારા મોટા પાદર સ્થિત મસ્જિદ એ મુસ્તુફાઇયયાહમાં તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૫ ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. તો ચાલુ સાલે હજમાં જનાર હુજ્જાજ ભાઈ-બહેનોને આ તાલીમ કેમ્પમાં હાજર રહેવા દારુલ ઉલુમ કમિટી અપીલ કરે છે. તાલીમ પૂર્ણ થયે તમામ હુજજાજો માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.