૧૫મી શાબાન એટલે શબેબરાત… શબેબરાત મુસ્લિમ સમુદાયના પ્રમુખ તહેવારો માંથી એક છે. ઇસ્લામી કેલેન્ડર અનુસાર ઇસ્લામી કેલેન્ડરના આઠમા મહિના ની ૧૫મી રાત્રે શબેબરાત મુસ્લિમ સમુદાય મનાવે છે. આ રાતમાં મુસ્લિમો રાત્રે નવાફીલો અદા કરી અલ્લાહ પાસે ગુનાહોની માફી માંગી અલ્લાહનો કુર્બ હાસિલ કરવાની કોશિશો કરે છે, જે અંતર્ગત ગતરોજ શબેબરાત ટંકારીઆ તથા પંથકમાં મનાવવામાં આવી હતી. બિરાદરોએ મગરીબની નમાજ બાદ વિશિષ્ટ નવાફીલો અદા કરી હતી અને રાત્રે કબ્રસ્તાનમાં જઈ તેમના પૂર્વજોની કબરો પર જઈ તેમની તથા તમામ મરહુમો માટે મગફિરતની દુઆઓ ગુજારી હતી. ત્યાર બાદ મોડી રાત્રી સુધી મસ્જિદો અને પોતપોતાના ઘરોમાં નવાફીલ, તસ્બીહ, ઝિક્ર વગેરે કર્યા હતા અને આ દિવસે રોઝો રાખવાનો મહિમા હોય લોકોએ રોઝા પણ રાખ્યા હતા. હવે પવિત્ર રમઝાન માસને આડે ૧૫ દિવસ બાકી હોય સમસ્ત મુસ્લિમ સમાજ રમઝાનની તૈયારીઓમાં લાગી જવા પામ્યો છે.
Leave a Reply