ઈદ ઉલ ફિત્રની શાનો શૌકત સાથે ઉજવણી કરાઈ

સમગ્ર ભારત આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં હતી. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી તેમજ ઈબાદત, રિયાઝત અને સદકા-ખૈરાત કરી અલ્લાહને રાજી કરવાની કોશિશ કરે છે. અને તેના બદલામાં અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ઈદ ઉલ ફિત્ર તરીકે ખુશીનો દિવસ સમગ્ર માનવજાત ને અર્પણ કરે છે. જે અંતર્ગત આજે ટંકારીઆમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી.
વહેલી સવારે બિરાદરો ઈદગાહમાં ઈદની વિશિષ્ટ નમાજ માટે એકઠા થયા હતા. નમાજ બાદ ખતીબો ઇમામ મૌલાના અબ્દુલરઝાક સાહેબે ઈદનો ખુત્બો પઢ્યા બાદ સમગ્ર માનવજાત માટે શાંતિ,અમન, એખલાસ, ભાઈચારાની દુઆઓ ગુજારી હતી. તેમણે ભારતના તમામ લોકો માટે ભલી દુઆઓ કરતા જણાવ્યું હતું કે, આપણા પ્યારા દેશને અલ્લાહ હંમેશા ઉન્નતિના શિખરો સર પર લઇ જાય તથા દેશમાં હંમેશા ખુશહાલી, અમનો-શાંતિ રહે તેવી દુઆઓ ગુજારી હતી. બાદમાં તમામ બિરાદરોએ એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. પાલેજ પોલીસ મથક દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*